મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાઇ મોરબી તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

હાલ વિદ્યાર્થીઓમાં દેશસેવા માટે અગ્નિવીર તરીકે જોડાવવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના NCCના બે વિદ્યાર્થી કુકડિયા પ્રદિપ ભરતભાઈ અને બાર મેહુલ રમેશભાઈને અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તે બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદિપભાઈ, ટ્રસ્ટી રજનીભાઈ, દેવાંગભાઈ તેમજ આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયા, દંગીભાઈ ગરમોરાભાઈ તેમજ NCC ઓફિસર ચૌધરીએ અગ્નિવીરમાં પસંદગી થયેલા બન્ને વિદ્યાર્થીઓનું સન્માન કરી શુભકામનાઓ આપી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/