મોરબી: ડીવાઇન લાઇટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તા.૨૮-૭-૨૦૧૯ ના રવિવારે વાવડી તથા જડેશ્વર મંદિરની પાસે આવેલ સંસ્થાના દવાખાનામાં ફ્રી ડાયાબિટીસ એન્ડ બીપી નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અનેક દર્દીઓ એ લાભ લીધો. તેમજ જે તે વિસ્તાર ના લોકો એ સાથ સહકાર અને સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં ડો. પ્રિયંકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નિદાન સારવારની સેવા આપવામાં આવી હતી. તેમજ સંસ્થા આવનારા દિવસોમાં આવી રીતે સેવાયજ્ઞ કરી શકે અને લોક સેવામાં અમૂલ્ય ફાળો આપવો એવું સંસ્થા ના પ્રમુખ ચિરાગભાઈ ચૌહાણની યાદીમાં જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















Comments are closed.