ક્રિકેટ જગતમાં સનસની, ગાવસ્કરે સચિનના દીકરા માટે આપ્યું મોટું નિવેદન

0
9
/

હાલ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે અર્જુન તેંડુલકરના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેને તેના પિતા સચિન તેંડુલકર જેવો સ્વભાવ મળ્યો છે. અર્જુને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી ઓવર નાખી અને તેની પ્રથમ આઈપીએલ વિકેટ લઈને મુંબઈને 14 રનથી જીત અપાવી. ગાવસ્કરે અર્જુન અને તેના મહાન પિતા વચ્ચેની સમાનતાને ઓળખી અને જુનિયર તેંડુલકરને એક વિચારશીલ ક્રિકેટર તરીકે ગણાવ્યા.

ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ લાઈવ પર કહ્યું, ‘સચિન તેંડુલકરની કારકિર્દીની શરૂઆતમાં દરેક વ્યક્તિ તેની અદભૂત પ્રતિભા વિશે વાત કરતી હતી, પરંતુ તે તેનો સ્વભાવ હતો જે અદ્ભુત હતો અને અર્જુનને પણ તેવો જ સ્વભાવ મળ્યો છે. તે એક વિચારશીલ ક્રિકેટર હોવાનું જણાય છે. તે એક સારી નિશાની છે કે યુવા ખેલાડી છેલ્લી ઓવર નાખે છે અને તે ટીમને જીતાડે છે. હૈદરાબાદમાં 14 રને મળેલી જીત સાથે મુંબઈએ બાકીની ટીમોને મજબૂત સંદેશ આપ્યો છે કે પાંચ વખતની ચેમ્પિયન પોતાની લયમાં પરત ફરી છે. મુંબઈએ સતત ત્રણ મેચ જીતી છે અને આ બદલાવનું મુખ્ય કારણ કેમરન ગ્રીન, તિલક વર્મા અને અર્જુન જેવા યુવા ખેલાડીઓનું પ્રદર્શન છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/