મોરબી: ચાંચાપરમાં ઝેરી દવા પી લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

0
72
/

મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા પી લઇ વૃદ્ધએ મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ચાંચાપર ગામમાં રહેતા 91 વર્ષીય મોતીભાઇ દેવજીભાઇ ગામીએ ગત તા. 8ના રોજ કોઇપણ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેથી, મંગલમ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તા. 10ના રોજ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે તા. 11ના રોજ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે નોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/