મોરબી એસપી અને એલસીબીને મધ્યપ્રદેશ પોલીસ તરફથી મળ્યા પ્રસંશા પત્ર

0
300
/

ધ્યપ્રદેશના લૂંટ અને ધાડના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડવાની કામગીરીની એડીજીપી અને એસપીએ સરાહના કરી

મોરબી : મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધાડ અને લૂંટના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડવા બદલ મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલા અને એલસીબી સ્ટાફને ઇન્દોર ઝોનના એડીજીપી અને અલીરાજપુરના એસપી દ્વારા પ્રસંશા પત્ર આપવામાં આવ્યા છે. આ પત્રમાં મોરબી પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી છેતાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ મથકના લૂંટ અને ધાડના ગુનાના ફરાર આરોપી કમલ બનનુ, બારમ કરણસિંહ અને રાકેશ ભેવરસિંહને મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ વી.બી. જાડેજા અને તેની ટીમે પકડી પાડ્યા હતા. આ આરોપીઓને પકડી પાડવા બદલ અલીરાજપુરના જિલ્લા પોલીસ વડા વિપુલ શ્રીવાસ્તવે પીઆઇ વી.બી. જાડેજા તેમજ સ્ટાફને અને ઇન્દોર ઝોનના એડિશનલ ડીજીપી વરુણ કપૂરે એસપી ડો. કરનરાજ વાઘેલાને પ્રસંશા પત્ર મોકલ્યો છે. જેમાં મોરબી પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી છે. સાથે આવી જ શ્રેષ્ઠ કામગીરી ભવિષ્યમા થતી રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/