મોરબીના જડેશ્વર મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાશે

0
149
/

ધ્વજારોહણ, મહાઆરતી અને ભાંગનું વિતરણ કરાશે

મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલા જડેશ્વર મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. 1 માર્ચ ના રોજ મહાશિવરાત્રીના પર્વ નિમિતે મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર આગામી તા. 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રોશનીથી શણગારવામાં આવશે. મહાશિવરાત્રીના દિવસે સવારે 6-30 કલાકે આરતી થશે અને ભાંગની પ્રસાદીનું વિતરણ બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવશે. સવારે 10 કલાકે મુખ્ય શિવમંદિરની ટોચ પર 20 ફીટની ઊંચાઈના સ્તંભ પર 3 મીટરની ધજા ચડાવવામાં આવશે. સાંજે 7-30 કલાકે મહાઆરતીની સાથે 51 દિવાની દીપમાળા પ્રગટાવવામાં આવશે. તેમજ શિવલિંગને ફૂલોની સજાવટ કરવામાં આવશે. આ દિવસે પૂર્ણ રાત્રિએ ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે.સમગ્ર આયોજનમાં સ્વયંસેવકો જોડાઈ શકે છે. તેમજ દાન-દક્ષિણા અને પ્રસાદમાં ફાળો આપી શકે છે. આ માટે સંસ્થાના સેક્રેટરી યશવંતભાઈ જોશીનો મો. નંબર 99747 68005 પર સંપર્ક કરી શકાશે. તેમજ શિવભક્તો સમગ્ર આયોજનનો લાભ લે તેવો અનુરોધ જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/