જળ સેવા એજ પ્રભુ સેવા : જલારામ મંદિર દ્વારા વિવિધ સ્થળોએ જલસેવા શરૂ

0
76
/
સેવાભાવી વ્યક્તિઓને વ્યવસાયિક સ્થાન પર જલસેવા કરવા અપીલ

મોરબી : હાલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે ફિલ્ટર્ડ ઠંડા પાણીની વ્યવસ્થા શહેરના વિવિધ સ્થળે કરવામાં આવી છે.કોઈપણ સેવાભાવી વ્યક્તિ પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન પાસે ઠંડા પાણીના જગ તેમજ સ્ટેન્ડની વ્યવસ્થા કરવા ઇચ્છતા હોય તેવા લોકોએ જલારામ પ્રાર્થના મંદિરનો સંપર્ક કરી શકશે.

ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચુકી છે.સુર્યનારાયણ ધીમે ધીમે કોપાયમાન થઈ રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.જે અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ ઠંડા પાણીના જગ તેમજ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.તંત્ર દ્વારા શહેરમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે પાણીની બોટલ પણ ૫ રૂ.,૧૦ રૂ.,૨૦ રૂ.માં વહેંચાય રહી છે.બહાર ગામથી શહેરમાં ખરીદી કરવા આવતા લોકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં પીવા શુધ્ધ પાણી માટે ખર્ચ કરવો પડે છે.તે સમસ્યા દુર કરવા મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે ફિલ્ટર્ડ ઠંડા પાણીની વ્યવસ્થા શહેરના વિવિધ સ્થળે કરવામાં આવી રહી છે.શહેરના કોઈપણ સેવાભાવી વ્યક્તિ પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન પાસે ઠંડા પાણીના જગ તેમજ સ્ટેન્ડની વ્યવસ્થા કરવા ઈચ્છુક હોય તેમણે સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળ-મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યુ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/