અમદાવાદથી રણુજાધામ ખાતે રામદેવપીરના સમાધિ સ્થળે ચાદર વિધિ યોજાઈ

0
199
/

[રિપોર્ટ: અશોક પંચાલ] તારીખ 21/03/2022 ને સોમવાર ના રોજ અમદાવાદથી રણુજાધામ રામદેવરા રાજસ્થાન જ્યાં ભગવાન રામદેવપીર નું જન્મ સ્થળ અને સમાધિ સ્થળ પર નવરંગ નેજા અને ચાદર અર્પણ વિધી કાર્યક્રમ શ્રીમાન લાલજીભાઈ કાનજીભાઈ કોશીયા પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો આ પરિવારને ધન્યવાદ પાઠવતા આનંદ થાય છે કે એકસાથે 300થી વધારે શ્રદ્ધાળુઓ હાજરી આપી જેમાં ખાસ રામદેવપીર ભગવાનના વંશજ શ્રીમાન આનંદ સિંગ બાપુ અને ખેતમલ શર્મા તથા રામદેવપીર ભગવાન વંશજ પરિવાર સાથે આપણા ગુજરાતના પ્રખ્યાત મંદિર ખોડિયાર મંદિર માટેલ ધામ( માટેલ ધરા ) ના મહંત શ્રી ખોડીદાસ બાપુ, સોમભાઈ પ્રજાપતિ (પાઘડી શેઠ ) કમલેશભાઈ (ભુવાજી), કાંતિભાઈ પંચાલ (ભુવાજી) શક્તિધામ વિઠલાપુર, ગિરધરભાઈ પટેલ, બાબુભાઈ પ્રજાપતિ, મહંત શ્રી રમેશદાસ મહારાજ જે સૂફીસંત ઇન્દોરથી સાંઇધામ મંદિર ગાદીપતિ, કાનારામ મહારાજ (ફલોદી ) સુરજીત નાગર, વિનોદ ખાન્ડલ, મુકેશ માંન, જગદીશ મીણl, કવર ભાનુ (ગુડગાવા) અને ઘણા બધા સાધુ-સંતો મહંતો એકસાથે માનવ મેળાવડો ઉભરાયો આ ઉપરાંત દિલ્હી જયપુર અન્ય રાજ્યો થી પણ માનવ મહેરામણ આવ્યું આ સર્વ કાર્ય નું આયોજન દીપાવવાની સંપૂર્ણ જવાબદારી પૂરા વિશ્વાસ સાથે મને સોંપવા માટે આપનો અને આપના પરિવારનો હું આભાર માનું છું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/