મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે વિવિધ સ્થળે આરતી, ભવ્ય શોભાયાત્રા યોજાશે

44
281
/

શોભાયાત્રા પૂર્વે અનેક સ્થળે આરતી યોજાશે

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિતે તા. ૦૭-૦૫-૨૦૧૯ ને મંગળવારના રોજ ભવ્ય શોભાયાત્રા તેમજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રા ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી શરુ કરીને પરશુરામ મંદિર, નવલખી રોડ ખાતે પૂર્ણ કરવામાં આવશે

પરશુરામ જયંતી નિમિતે યોજાનાર શોભાયાત્રાની માહિતી આપતા શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ ધ્યાનેશભાઈ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે શોભાયાત્રા પૂર્વે વિવિધ વિસ્તારમાં આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૦૧ ના રોજ સાંજે ૦૬ કલાકે ગાયત્રી મંદિર, તા. ૦૧ ના રોજ રાત્રે ૯ કલાકે યોગેશ્વર મહાદેવ રીલીફ નગર મોરબી-૨, તા. ૦૨ ના રોજ રાત્રે ૯ કલાકે રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-૨ તેમજ તા. ૦૩ ના રોજ રાત્રે ૯ કલાકે લખધીરવાસ ચોક મોરબી, તા. ૦૪ ના રોજ રાત્રે ૯ કલાકે આરાધના સોસાયટી, શનાળા રોડ મોરબી અને તા. ૦૫ ના રોજ રાત્રે ૯ કલાકે ત્રિલોકધામ કુબેર નગર મોરબી ખાતે આરતી યોજાશે

જે આરતીનો લાભ લેવા તેમજ પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રામાં ભૂદેવોએ મોટી સંખ્યામાં પધારવા માટે સંસ્થા અગ્રણી ધ્યાનેશભાઈ રાવલ અને ધર્મેન્દ્રભાઈ જોશીએ નિમંત્રણ પાઠવ્યું છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.