હળવદ : જુના દેવળિયા ગામે લોકડાઉન, દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે

0
35
/

મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના દેવળિયા ગામમાં દુકાનો અડધો દિવસ ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે

હળવદના જુના દેવળિયા ગામના સરપંચે તમામ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે ગામમાં કોરોના પોઝીટીવ કેસ વધારે છે અને ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે જેથી આરોગ્ય વિભાગની સુચનાને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ કોઈપણ વ્યક્તિ કોરોના પોઝીટીવ કેસ ખાનગી કે સરકારી દવાખાનેથી આવે તો ગ્રામ પંચાયત અથવા સરકારી દવાખાને જાણ કરવી સાથે જ ૧૪ દિવસ હોમ કોરોનટાઈન રહે તેવી સુચના આપી છે

તે ઉપરાંત ગામ લોકોએ આવશ્યક કામકાજ સિવાય બહાર નીકળવું નહિ, શેરીના ઓટલે બેસવું નહિ, બહાર નીકળતી વેળાએ માસ્ક પહેરીને નીકળવું તેમ જણાવ્યું છે જયારે દુકાનદારોને દુકાન ખોલવાનો સમય બપોરે ૩ થી રાત્રીના ૮ સુધીનો રહેશે સ્વૈચ્છિક લોકડાઉન તા. ૧૮-૦૯ થી તા. ૦૧-૧૦ સુધી પાડવાનું રહેશે તેમ સરપંચે જણાવેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/