કમરના દુ:ખાવાની બીમારીથી કંટાળી યુવકે મચ્છુ-3 ડેમમાં ઝંપલાવતા મોત

0
127
/

આ આપઘાત કરતા પહેલા મૃતક યુવાને સ્યુસાઇડ નોટ કવરમાં નાખી મિત્રને સોંપી

મોરબી : મોરબીના આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ -3 ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કરી લીધો હતો. આ યુવાને આપઘાત કરતા પહેલા એ કવર તેના મિત્રને આપ્યું હતું અને વીમાવાળાને એ કવર આપવાનું કહ્યું હતું. જો કે આ યુવાન ગુમ થઈ ગયા બાદ પરિવારજનોને મિત્ર પાસેથી મેળેલા કવરને ખોલીને જોયું તો સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ગરદન અને કમરના દુ:ખાવાથી કંટાળી અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો.

મોરબી તાલુકા પી.એસ.આઇ. ગોઠણીયાએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષભાઈ થોભણભાઈ જાકાસણીયા (ઉ.વ. 35) નામનો યુવાન ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. ખાસ કરીને યુવાનના મિત્રોને પૂછપરછ કરતા એક મિત્રએ કહ્યું હતું કે મને આજે આશિષએ એ કવર આપ્યું હતું. એ કવર વિમાવાળાને આપવાનું કહ્યું હતું. આથી પરિવારજનોએ કવર ખોલીને જોતા અંદરથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોતે આપઘાત કરવા જતાં હોવાનું જણાવ્યું હતું. આથી, પરિવારજનોએ તે દિશામાં તપાસ કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/