સરકારની આ એપ્લિકેશન દ્વારા મેળવો ઘેરબેઠા તબીબી સારવાર

0
91
/

ઇ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સવારે 09 થી રાત્રે 09 વાગ્યા દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને નિઃશુલ્ક દવા મેળવવા માટે આ એપ. ઉપયોગી

મોરબી : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત 24 સપ્ટેમ્બરથી ઇ-સંજીવની નામની એક મોબાઈલ એપ. લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના કોઈપણ રાજ્યનો મોબાઈલ ધારક આ એપ.ના ઉપયોગ દ્વારા જનરલ કે સ્પેશિયાલિસ્ટ ડોકટર સાથે વિડીઓ કોલિંગના માધ્યમથી નિઃશુલ્ક નિદાન કરાવીને દવા લખાવી શકે છે અને આ ઓનલાઈન જનરેટ થયેલા પ્રિસ્ક્રિપશન મુજબ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી શકે છે. જો કે, આ યોજનાની એપ.નો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાની જરૂર છે. કેમ કે, મોટાભાગના લોકોને હજુ આ સુવિધા વિશે પૂરતી જાણકારી મળી શકી નથી. ત્યારે આવો જાણીએ કે આ નિઃશુલ્ક નિદાન યોજનાનો ઉપયોગ આપ કઈ રીતે કરી શકો છો?

કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી અને રાજ્ય સરકારો દ્વારા સ્વીકારાયેલી આ યોજનામાં કોઈપણ એન્ડ્રોઇડ ફોનધારક પ્લેસ્ટોરમાંથી ઇ-સંજીવની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. આ એપ યુઝર ફ્રેન્ડલી છે. એટલે કે મોબાઈલની સાધારણ જાણકારી ધરાવતી કોઈ પણ વ્યક્તિ સરળ રીતે એપ. ડાઉનલોડ કરી શકે છે. એપ. ડાઉનલોડ કર્યા બાદ એ એપ્લિકેશન મારફત સ્ટેપબાય સ્ટેપ સૂચના પ્રમાણે અનુસરણ કરતા વ્યક્તિ ઘેરબેઠા નિષ્ણાંત તબીબની સલાહ ઘેરબેઠા મેળવીને ડોકટરે લખી આપેલી દવા સરકારી હોસ્પિટલોમાંથી નિઃશુલ્ક મેળવી શકે છે અથવા ખાનગી મેડિકલ સ્ટોર કે જેનરેનીક મેડિકલ સ્ટોરમાંથી ખરીદી પણ શકે છે.

જેમ કે, એપ. ડાઉનલોડ કર્યા બાદ વ્યક્તિને જે પ્રકારની બીમારીનું નિદાન કરાવવું હોય તેના માટે બે ઓપ્શન આપવામાં આવેલા છે. એક ઓપ્શનમાં જનરલ બીમારીઓ જેવી કે, તાવ, શરદી, ખાંસી, ઝાડા થઈ જવા, કળતર જેવી બીમારીઓ માટે જનરલ ઓપ્શન સિલેક્ટ કરવો. બીજી કેટેગરીમાં સ્પેશિયાલિસ્ટ ડોકટર જેમ કે, મગજની બીમારી, હાર્ટ પ્રોબ્લેમ, હાડકા, આંખ, કાન, નાક, ગળાની બીમારી, લીવરને લગતી બીમારી માટે સ્પેશિયાલિસ્ટ કેટેગરી સિલેક્ટ કરવી. આ સિલેક્શન બાદ રાજ્યના કોઈપણ ક્ષેત્રમાંથી જે-તે બીમારીના ડોકટર વિડીઓ કોલિંગના માધ્યમથી દર્દી સાથે વાત કરશે. જે રીતે રૂબરૂ જવાથી ડોકટર જે સવાલ પૂછે છે એવા પ્રકારના ડોકટરના સવાલો અને દર્દીના જવાબોને આધારે ડોકટર બીમારીનું નિદાન કરશે કે સલાહ સૂચનો પણ આપશે. ત્યારબાદ ડોકટર દ્વારા દર્દીને જરૂર જણાશે તો દવા ઓનલાઈન જ લખી આપવામાં આવશે. જે તે વ્યક્તિની મોબાઈલ એપ્લિકેશનમાં જ એ દવા લખાઈ જશે. એ મોબાઈલ લઈને દર્દી કોઈપણ સરકારી હોસ્પિટલમાં જશે કે દર્દીના પરિજનો જશે ત્યારે હોસ્પિટલમાંથી એ દવા નિઃશુલ્ક મેળવી શકશે. અમુક ખાસ બીમારીઓ માટેની દવા મેડિકલ સ્ટોરમાંથી ખરીદવાનું પણ લખી શકે છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/