હાલ વાવાઝોડાને પગલે ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એસટીના પૈડાં થંભાવી દેવાયા હતા
મોરબી : હાલ વાવાઝોડાનો ખતરો જોતા મોરબી એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને લાંબા અંતરની કવાંટ,અંબાજી અને દાહોદ રૂટની બસના પૈડાં થંભાવી દીધા બાદ આ તમામ રૂટ રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.
મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા વાવાઝોડાનો ખતરો જોતા મોરબીથી ભાવપર, માળીયા, જામસર, ચમનપર અને ઘાટીલા નાઈટ સહિતના ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કવાંટ, અંબાજી અને દાહોદ રૂટને પણ સલામતી ખાતર અટકાવી દેવામાં આવ્યા હતા.
દરમિયાન વાવાઝોડાનો ખતરો જોતા મોરબી ડેપો દ્વારા ફરી તમામ ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી હોવાનું મોરબી એટીઆઈ દ્વારા જણાવાયું હતું.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...