માળીયા મિયાણા પંથકમાં કોરોના ભુરાયો : ખાખરેચીમાં મબલખ કેસ

0
229
/

માળીયા : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાખરેચી સહિતના ગામોમાં કોરોના રઘવાયો બન્યો હોય તેવી સ્થિતિ વચ્ચે કોરોના ટેસ્ટ માટે લોકો જાગૃત બની આગળ આવી રહ્યા છે કોરોના ટેસ્ટિંગ કીટના અભાવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય પણ સંક્રમિત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

માળિયા મીયાણા તાલુકામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને નાના એવા ખાખરેચી ગામમાં ઢગલાબંધ કેસ સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારેજીયા પણ કોરોના સંક્રમિત બન્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે જો કે હાલમાં તાલુકામાં પૂરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટ કીટ ન હોવાથી લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/