મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત

0
70
/

મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ ખેતરમાં કામ કરતા હોય ત્યારે કોઈ કારણોસર મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ ચલાવી છે

મોરબીના મકનસર ગામે રસોઈ બનાવતા દાઝી ગયેલી મહિલાનું મૃત્યુ 
તાજેતરમાં : મોરબીના મકનસર પ્રેમજીનગરના રહેવાસી બાલુબેન શામજીભાઈ ગેડિયા (ઉ.વ.૫૦) વાળી મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતા હોય ત્યારે અકસ્માતે ઝાળ લાગતા શરીરે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/