મોરબીમાં આજે મંગળવારે નિઃશુલ્ક વેકસિન કેમ્પ યોજાઈ ગયો

0
35
/

મોરબી: હાલ આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી મોરબીમાં નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન શરૂ થયું છે. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આજે સવારે 10 વાગ્યાથી આ રસીકરણ કેમ્પ શરૂ થયો છે.

45 વર્ષથી ઉપરની વયના કોઈપણ મહિલા-પુરુષ આ રસીકરણ કેમ્પનો લાભ લઇ શકે છે. આ રસીની કોઈ આડઅસર થતી ન હોય અફવાઓથી દૂર રહેવું. ડાયાબીટીસ, બી.પી. કે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા વ્યક્તિઓએ તો અચૂક રસી મુકાવવાનો અનુરોધ કરાયો છે. પ્રાગટય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહિદાસપરા મેઈન રોડ સ્થિત આ કેમ્પમાં રસી મુકાવવા જતા સમયે આધારકાર્ડ અચૂક સાથે લઈ જવું. વધુ માહિતી માટે પરેશ પારિયા મો.નં. 9978999777 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/