મોરબી ઝુલતાપુલ દુર્ઘટના નામ મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મહાઆંદોલન

0
1316
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનાના મૃતકો તેમજ તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અવિરત આંદોલન અભિયાન ત્રણ અખબાર અને એક ન્યુઝ ચેનલ (દિવ્યક્રાંતિ,લોકજ્વાલા,દિવ્ય દ્રષ્ટિ, અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા) મીડિયા ગૃપ દ્વારા લડતના મંડાણ શરૂ થાય છે

137 લોકોના અપમૃત્યુ માટે જવાબદાર અને મુખ્ય આરોપી એવો જયસુખ પટેલ કે જે આજદિન સુધી ફરાર હોય સરકાર દ્વારા તેની ત્વરિત ધરપકડ કરવામાં આવે અને નિર્દોષ હતભાગીઓ ને સાચો ન્યાય મળે તે આ મીડિયા ગૃપ નો મુખ્ય હેતુ છે જેમાં આપ પણ સહભાગી બની પુણ્ય ના કાર્ય માં યોગદાન આપી અમારા લક્ષ્યને વેગવંતું બનાવવા માટે માત્ર અમારા માધ્યમો ના સમાચારો ને શેર કરી ચોક્કસ યોગદાન આપશો આ જયસુખ પટેલ એજ નિર્દય અમાનુષ રાક્ષસ છે જેણે આજદિન સુધી મોરબીની પ્રજાને અન્યાય કરવા માં બાકી નથી રાખ્યું લોકચર્ચા મુજબ આ એજ જયસુખ પટેલ છે જેના ઓથાર હેઠળ દારૂડિયા તબીબ ને હવાલે સદભાવના હોસ્પિટલમાં અનેક માનવ જિંદગીઓનો બેદરકારી પૂર્વક ભોગ લેવાયો છે અને તેમના અનેક પરિવારના સભ્યો આજદિન સુધી તે આઘાતમાંથી બહાર નથી આવ્યા પરંતુ હવે સમય આવી ચૂક્યો છે આ સારા વસ્ત્રો પાછળ છુપાયેલ નરભક્ષી ભેડિયાને બે-નકાબ કરવાનો અને આ એક એવું મિશન છે જેમાં સહયોગ આપવા પ્રથમવાર વાચકોને પણ અમારી નમ્ર અરજ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/