Saturday, May 25, 2024
Uam No. GJ32E0006963
Home Morbi Morbi પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી વેપારીને છોડાવ્યો

પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી વેપારીને છોડાવ્યો

0
2
/

પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે તા.૨૩ના રોજ ફરીયાદી ગીરીશભાઇ મહેશભાઇ ઉર્ફે મેગરાજભાઈ મોહેનાની રહે. મકનસર ગાયત્રી સ્કુલ સામે તા.જી.મોરબી મુળ રહે. નાની વાવડી સીધી સોસાયટી તા.જી.મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ફરીયાદ જાહેર કરેલ કે, પોતે ગઈ કાલ સાંજના આશરે પાંચથી છ વાગ્યાના અરસામાં ઢુવા ચોકડી પાસે હતા. ત્યારે રણજીતભાઇ સોમાભાઇ દુમાદીયા રહે. નવા કુવા તા.વાંકાનેર વાળા પાસેથી પોતે અગાઉ હાથ ઉછીના રૂપીયા-૫૩,૦૦૦/- લીધેલ હોય જેમાંથી રૂપીયા-૮,૦૦૦/- પરત આપી દીધેલ અને બાકીના રૂપીયા પરત નહી આપતા આરોપી રણજીતભાઇ સોમાભાઇ, નિલેશ સોમાભાઇ, જયસુખભાઇ મનસુખભાઇએ ફરીયાદીનું અપહરણ કરી કાળા કલરની ફોરવ્હીલ કારમાં લઈ જઈ લાકડીથી માર મારી રૂપીયા-૧૫૦૦/- બળજબરીથી કઢાવી લીધા હતા. અને જો પૈસા ન આપે તો તેઓને જવા દેવામાં નહિ આવે તેમ કહી ગોંધી રાખેલ હતા.જ્યાંથી પોલીસને તેઓએ જાણ કરતા પોલીસે તેઓને શોધી અપહરણકારો પાસેથી છોડાવીને ત્રણેય અપહરણકારોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા, PSI એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, વી.એન. પરમાર, એલ.એ.ભરગા પો.સબ.ઇન્સ. વાંકાનેર તાલુકા પો.સ્ટે. તથા એલ.સી.બી/પેરોલફલોં તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે ના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/