મોરબી જિલ્લામાં કોરોના વધ્યો, બેકાબુ સ્થિતિ વચ્ચે આજે 25 કેસ, બે દર્દીના મૃત્યુ

0
326
/

સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3579 કેસમાંથી 3220 સાજા થયા, આજે બે દર્દીના મૃત્યુ સાથે કુલ 216ના મોત, એક્ટિવ કેસ વધીને 143 જેટલા થયા

મોરબી : આજે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે ધુળેટીના દિવસે 29 માર્ચ, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1089 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 25 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે.

જ્યારે આજે મોરબી જિલ્લામાં બે કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે સરકાર દ્વારા સત્તાવાર મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

CORONA-5
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/