મોરબી જિલ્લામાંથી કર્ફ્યુભંગ બદલ 40 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા

0
111
/

મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી 40 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી લાલપર ગામ નજીકથી 2 શખ્સોને, ટંકારા પો.સ્ટે.ની હદમાં લતીપર ચોકડીએથી 3 શખ્સોને, માળીયા મી. પો.સ્ટે.ની હદમાં આવતા વાગડીયા ઝાંપા પાસેથી 2 શખ્સોને, વાંકાનેર સીટી. પો.સ્ટે.ની હદમાં આવતા લક્ષ્મીપરા ચોક પાસેથી 3 અને સિપાઈ શેરીના નાકેથી 4 શખ્સોને તેમજ પુલ દરવાજા વિસ્તારમાંથી 4 શખ્સોને, તથા હળવદ પો.સ્ટે. વિસ્તારના સરારોડ પરથી 2ને જ્યારે નવ નિર્માણ સ્કૂલ પાસેથી 1 શખ્સને કર્ફ્યુ ભંગ કરવા બદલ અટકાયતી પગલાં ભર્યા છે.

મોરબી સીટી. એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસેથી 2 શખ્સોને તથા પરા બજાર મેઇનરોડ પરથી 1, માણેક સોસાયટીમાંથી 3, જયદીપ ચોક મેઈન રોડ પરથી 1, ગાંધી ચોક પાસેથી 1 શખ્સને કર્ફ્યુ ભંગ સબબ અટકાયત કરી છે. મોરબી બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારના માળીયા ફાટક પાસેથી 11 લોકોને મોડી રાત્રે કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા કલમ 188 મુજબ તમામ સામે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/