મોરબીના લીલપર મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

0
388
/

રાત્રિના ભવ્ય રામા મંડળ નું પણ આયોજન કરવામાં આવેલ છે

(હસમુખભાઇ મોસત દ્વારા)  આગામી તા. 20-5-2019 ના રોજ લીલપર મુકામે મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ ધાર્મિક પ્રસંગની વધુ વિગતોનુસાર વૈશાખ વદ -2 ને સોમવારના રોજ દેત્રોજા પરિવાર દ્વારા   શ્રી બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ નવચંડી યગ્ન નું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે 7:00 કલાકે યાગણનો શુભપ્રારંભ થશે અને બપોરે 11 વાગ્યે બીડું હોમવામાં આવશે તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન છે. તદુપરાંત રાત્રિના નકલંક નેજધારી રામામંડળ તોરણીયાધામ યોજાશે આ યગ્ન ના યજમાન પદે શ્રી નિતિનભાઈ જયંતિભાઈ દેત્રોજા છે ત્યારે આ શુભ અવસરમાં પધારવા સૌને જયંતિભાઈ મૂળજીભાઇ દેત્રોજા, પિયુષભાઈ જયંતિભાઈ દેત્રોજા, તથા સમસ્ત દેત્રોજા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામા આવેલ છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/