મોરબી તાલુકાના મધુપુર ગામના તળાવના કાંઠે બિરાજમાન પાળવાળા મેલડી માતાજીના મંદિર નું વર્ણન..

0
353
/

આ વાત છે 1979 માં આવેલ મોરબી હોનારત દરમ્યાનની

મોરબી હોનારત દરમ્યાન નદીવારા નાગડાવાસ માં ખુબ પ્રમાણ માં પાણી આવી ગયું હતું મછુ ના પાણી સમગ્ર ગામ માં ફરી વર્યા હતા સમગ્ર ગામ પાણી થી ઘેરાય ગયું હતું. જેથી કરીને નદીવારા ના ગ્રામ જનોએ નદી કાંઠે થી થોડું દૂર એક ગામ વસાવવાનો નિર્યણ કર્યો જે ગામ આજે મધુપુર તરીકે જાણીતું છે
મધુપુર ગામ ના નિર્માણ માટે આર. એસ. એસ. આગળ આવ્યું તથા સંસ્થા દ્વારા મધુપુર ગામ ના નિર્માણ માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. એ સમયે ગામમાં મકાનો બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ કંપની દ્વારા ઘનશ્યામસિંહ દેવુભા જાડેજા ને આપવામાં આવ્યો
રોજ સાંજના સમય માં મધુપુર ગામના તળાવના કાંઠે ઘનશ્યામસિંહ જાડેજા બેસતા હતા અને ગામની કામગીરી કરાવતા હતા .એ સમય દરમ્યાન ગામના તળાવ માં ની અંદર પડી રહેલ એક વસ્તુ ઉપર એમની નજર પડતી હતી. એ જોતા હતા કે આજુબાજુ ના વિસ્તારો માં ખુબ મોટા પ્રમાણ માં પાણી હતા જેના લીધે મધુપુર તળાવ માં ઘણી વસ્તુઓ તણાઈ ને આવતી જતી હતી પરંતુ એક એવી ચીજ હતી જે લગભગ નવ દિવસ થી પાણીમાં એકજ જગ્યા ઉપર રહેતી હતી જેથી કરી ને એ ચીજ ઉપર હંમેશા એમનું ધિયાન જતું હતું
એક દિવસ એમના કહેવાથી ગામના અમુક લોકો તળાવ ના પાણી માં ઉતર્યા અને એ વસ્તુને બહાર લઈને આવ્યા. જયારે ઘનશ્યામ સિંહે જોયું તો એ એક મેલડી માનો ફોટો હતો. જે જોઈ ને બધાને નવાઈ લાગી કે આટલા મોટા પાણી ના વહેણ વચ્ચે પણ આ ફોટો એક ને એક જગ્યા ઉપર રહેતો હતો. જેથી કરીને ઘનશ્યામ સિંહ દ્વારા તળાવને કાંઠે એ ફોટો મૂકી ને એક નાની એવી માતાજી ની ડેરી ની સ્થાપના કરવામાં આવી. થોડા સમય બાદ ગામમાં રહેતા એક ભળવાડ ને માતાજી સપને ગયા અને જે પ્રમાણે ભરવાડ ની ઈચ્છા હતી એજ પ્રમાણે ગામની વચોવચ ભરવાડ ને માતાજી એ મકાન અપાવ્યું. પછી તો માતાજી એક પછી એક ગામ જનોની મનો કામનાઓ પૂર્ણ કરતા ગયા રોજ સાંજ ના સમયમાં ઘનશ્યામ સિંહ ગામ જનો સાથે મંદિરે બેસતા ત્યારે તેમની સાથે માતાજી પણ નાગણી સ્વરૂપે લોકો ને દર્શન આપતાં એક નાગણી તળાવ ને કાંઠે હરહંમેશ ઘનશ્યામસિંહ સાથે મંદિર માં જોવા મળતી હતી
સમય સાથે ઘનશ્યામ સિંહ નું અવશાન થયું એ સમય દરમ્યાન એમના દીકરા જયદેવસિંહ ની ઉંમર માત્ર નવ વર્ષ ની હતી પરંતુ માં મેલડી ની દયા અને આશીર્વાદથી જયદેવસિંહ એ પોતાના પિતાજી નું અધૂરું સપનું પૂરું કર્યું. અને ત્યાં વિવસ્થિત રીતે એક મંદિર નું નિર્માણ કર્યું. આજે મધુપુર ગામમા ગામ ના તથા બહાર ના ઘણા લોકો દર્શન માટે આવેછે માતાજી બધાના મનોરથ પુરા કરેછે અને ધાર્યા કામો પાર પાડેછે
જયદેવસિંહ દ્વારા જયારે મંદિર નું કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે પણ માતાજી નાગણી સ્વરૂપે મંદિર માં ત્રણ દિવસ સુધી બિરાજમાન રહ્યા હતા જે પરચો આખા ગામે જોયો હતો આજ પણ જયારે જયદેવસિંહ દ્વારા મંદિર માં કોઈ કાર્ય કરવામાં આવેછે ત્યારે માતાજી નાગણી સ્વરૂપે ત્યાં પોતાની હાજરી આપેછે
આજે પણ હર રોજ મધુપુર રામપર. નાગડાવાસ. બાદૂરગઢ તથા મોરબી ના ઘણા લોકો રોજ સવાર સાંજ માતાજી ના દર્શન માટે મધુપુર મેલડી માતાજી ના મંદિરે આવેછે અને માતાજી ના દર્શન કરીને માતાજી ને વિનવેછે
પાળ વારા મેલડીમાં નું નામ આજે સમગ્ર વિસ્તાર માં જાણીતું બન્યું છે
મધુપુર ગામના લોકો પણ દિવસ રાત મંદિર માટે તથા મંદિરે આવતા શ્રદ્ધારૂઓ માટે સેવાના કામો માં વળગેલા રહેછે
આજે પણ માં મેલડી મધુપુર ગામની રક્ષા કરેછે તથા માતાજી ની પાળે આવેલ હર એક ની મનો કામનાઓ માતાજી પૂર્ણ કરેછે
આવા તો માતાજી ના અનેક પરચાઓ છે જે આજે પણ મધુપુર ગામમાં રહેતા લોકો ના મોઢે આપડને સાંભળવા મલેછે
આવા કલયુગ માં પણ આજે માંતાજી મેલડી માં હાજરા હજુર છે જેનો પુરાવો મધુપુર ગામ માં જોવા મલેછે..

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/