મોરબી તાલુકા વિસ્તારમાં નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામ નજીક ટ્રેન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માલગાડીની હડફેટે ચડી ગયેલા આદીવાસી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેલવેના કર્મચારી રતિભાઈ વરસડાએ જાહેરાત કરી હતી કે ગઇકાલના અગિયારેક વાગ્યાના અરસામાં લુંટાવદર ગામ પાસેથી પસાર થયેલી માલગાડીની હડફેટે ચડી જતાં એક અજાણ્યા આશરે ૨૫ વર્ષના યુવાનનો કપાઇ ગયેલ હાલતમાં મૃતદેહ પડયો છે જેથી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.બી.ઝાલાએ તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળ ઉપર જઈને શોધખોળ કરતા મૃતકના ખીસ્સામાંથી મળેલ આધારકાર્ડના આધારે મૃતક યુવાનનું નામ જુવાનસિંગ માનસિંગ સુથાર જાતે આદિવાસી (ઉંમર ર૫) મૂળ રહે.ડભોઇ વેગાવડીયેા જી.વડોદરા અને હાલ રહે. મોરબી શનાળા હોવાનું ખુલ્યું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક જુવાનસીંગ સુથાર તથા તેના પિતા થોડા સમય પહેલા વાંકાનેરમાં થયેલા એક મર્ડરના ગુનામાં સંડોવાયેલા હતા જેમાં મૃતક હાલ જામીન ઉપર હતો અને સમયાંતરે તેને હાજરી પુરવા પોલીસ સ્ટેશન જવું પડતું હોય તેઓ હાલ અહીં મોરબી જ રહીને મજૂરી કામ કરતા હતા દરમિયાનમાં ગઈકાલે અહીંના લુંટાવદર ગામ પાસે માલગાડીની હડફેટ ચડી જતા જુવાનસીંગ સુથારનું મૃત્યુ થયેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...