મોરબી : તાજેતરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.કોરોનાના દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.કોરોનાના કેસો વધતા પોઝિટિવ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે મોરબીમાં નવું કોરોના સેન્ટર ઉભું કરવા તેમજ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જાહેર માર્ગો ઉપર સેનીટાઝેશન કરવા સાથોસાથ કોરોના પોઝિટિવ દર્દીની વિગત જાહેર કરવાની માંગ સાથે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
મોરબીના મેહુલેભાઈ ગાંભવા તેમજ વરુણભાઈ દલસાણીયા સહિતના જાગૃત નાગરિકોએ કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી કે ,મોરબીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તેથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તકેદારીના પગલાં લેવા જરૂરી બન્યા છે.જેમાં મોરબીના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં નિયમિત સેનીટાઝેશન કરવામાં આવે તો આ મહામારી અટકાવી શકાય એમ છે.જ્યારે નવા પોઝિટિવ આવતા દર્દીઓના નામ સહિતની વિગતો જાહેર કરાઈ તો તેમના સંપર્કમાં આવેલ લોકો સેલ્ફ આઇસોલેટે કરી શકે અને જરૂરી તકેદારીના પગલાં લઈ શકે તેમજ મોરબીમાં કોરોનાના કેસો વધતા હોય દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે નવું કોરોન સેન્ટર ઉભું કરવાની માંગણી કરી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...