મોરબી : તાજેતરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.કોરોનાના દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.કોરોનાના કેસો વધતા પોઝિટિવ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે મોરબીમાં નવું કોરોના સેન્ટર ઉભું કરવા તેમજ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જાહેર માર્ગો ઉપર સેનીટાઝેશન કરવા સાથોસાથ કોરોના પોઝિટિવ દર્દીની વિગત જાહેર કરવાની માંગ સાથે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
મોરબીના મેહુલેભાઈ ગાંભવા તેમજ વરુણભાઈ દલસાણીયા સહિતના જાગૃત નાગરિકોએ કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી કે ,મોરબીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તેથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તકેદારીના પગલાં લેવા જરૂરી બન્યા છે.જેમાં મોરબીના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં નિયમિત સેનીટાઝેશન કરવામાં આવે તો આ મહામારી અટકાવી શકાય એમ છે.જ્યારે નવા પોઝિટિવ આવતા દર્દીઓના નામ સહિતની વિગતો જાહેર કરાઈ તો તેમના સંપર્કમાં આવેલ લોકો સેલ્ફ આઇસોલેટે કરી શકે અને જરૂરી તકેદારીના પગલાં લઈ શકે તેમજ મોરબીમાં કોરોનાના કેસો વધતા હોય દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે નવું કોરોન સેન્ટર ઉભું કરવાની માંગણી કરી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક...
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...
ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...