મોરબીના રવાપર ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

0
386
/

મોરબી : મોરબીના રવાપર ગામે રહેતી મહિલાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્કમાં રહેતી શોભનાબેન ધીરુભાઈ કનેરીયા (ઉ.વ.54) નામની મહિલાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. બાદમાં તેમનો મૃતદેહ પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક મહિલાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે વિશે જાણવા માટે તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/