BREAKING: હવે ટ્રાફિક ગુનામાં માત્ર ખરેખર જવાબદાર હોય તેની પાસેથી પોલીસ જ દંડ વસુલ કરાશે

0
178
/
વાહનમાલિક, ડ્રાઇવર, કંન્ડકટર કે પેસેન્જર પાસેથી એમ ડબલ દંડ નહીં લેવાય : મોટર વાહન અધિનિયમન – 1988 હેઠળના ગુન્હાઓ અન્વયે વસુલાત કરવા અંગે સરકારનો મહત્વનો નિર્ણય

મોરબી : હાલ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ્સ એકટ નં. 32/2019થી મોટર વાહન અધિનિયમ, 1988માં સુધારા કરવામાં આવેલ હતા. આ સુધારાના અમલીકરણ માટે ગુજરાત સરકારે અનેકવિધ પગલાં લીધા છે. આ તમામ પગલાંઓમાં નાગરિકોને બિનજરૂરી પરેશાની ન થાય તે દ્રષ્ટિકોણ પણ ધ્યાનમાં રાખેલ છે.

ગુજરાત સરકાર દ્વારા નવા કાયદાના અમલીકરણના અનુસંધાને ટ્રાફિક ગુન્હાઓમાં સ્થળ, દંડ/માંડવાળ ફીના સરળ દરો અમલી બનાવેલ છે. આ જ પ્રક્રિયામાં આગળ વધતાં ટ્રાફિક ગુન્હાઓમાં ખરેખર જવાબદાર ડ્રાઇવર, માલિક કે વાહન સંબંધિત જવાબદારીઓ કાયદાકીય જોગવાઇઓ અનુસાર સ્પષ્ટ થાય તથા અર્થઘટનના ગુંચવાડા ઉભા ન થાય તે ધ્યાનમાં લઇ સરકારે ટ્રાફિક ગુન્હાઓ માટે ખરેખર જવાબદાર હોય, તેની પાસેથી માંડવાળ ફી વસુલ કરવાની જોગવાઇઓ નકકી કરતો ઠરાવ તા. 26/11/2020થી બહાર પાડેલ છે. આ ઠરાવની અમલવારી થતા હવે પછી અમુક જોગવાઇ સિવાય મોટાભાગના ગુન્હાઓ માટે વાહનમાલિક, ડ્રાઇવર, કંન્ડકટર કે પેસેન્જર પાસેથી એમ ડબલ દંડના બદલે ગુન્હા માટે જવાબદાર વ્યકિત પાસેથી જ દંડ પણ વસુલ કરવામાં આવશે

સરકારના આ નિર્ણયથી જાહેર જનતાની ટ્રાફિક ગુન્હાઓ અંગે સભાનતા વધશે અને દંડની વસુલાતમાં પારદર્શીતા આવશે. એમ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/