રવાપર ગામ નજીકની સોસાયટીમાં ગંદા પાણીના તલાવડા

0
66
/

હાલ કોરોના મહામારીથી ગુજરાત અને દેશ જ નહિ સમગ્ર દુનિયા પરેશાન છે અને કોરોનાથી બચવા મથામણ કરી રહ્યા છે ત્યારે મોરબીના નીમ્ભર તંત્રના પાપે ગંદકીની ભરમાર જોવા મળે છે અને રવાપર ગામ નજીકના પોશ એરિયામાં ઉભરાતી ગટરની ગંદકીથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે

મોરબીના રવાપર ઘુનડા રોડ પરની કૃપા સોસાયટીમાં છેલ્લા ૨૫ દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાય છે અને વગર વરસાદે ગંદા પાણીના તલાવડા ભરેલા જોવા મળે છે અહી ગોપાલ એપાર્ટમેન્ટ અને આસોપાલવ એપાર્ટમેન્ટના ૫૦ થી વધુ લોકો નિવાસ કરે છે અને ઉભરાતી ગંદકીથી વિસ્તારના રહીશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ઉભરાતી ગંદકીથી રહીશો તોબા પોકારી ચુક્યા છે અને તાકીદે તંત્ર ગંદકી અંગે યોગ્ય પગલા ભરે તેવી માંગણી કરી છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/