ગ્રામપંચાયતે તારીખ 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી
ટંકારા : ટંકારાના સજનપર ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તા. 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જોકે, કરીયાણાની દુકાનો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 8 તેમજ ઘંટીનો સમય સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 સુધી ખુલી રાખવા છૂટ આપવામા આવી છે.
સજનપર ગ્રામ પંચાયત દ્વારા કોરોના કેસ વધતા દસ દિવસીય સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી લોકો દુકાને ખરીદી કરવા જાય તેમજ ઘરની બહાર નીકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને જવા, સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવું, ચાર કરતા વધુ વ્યક્તિએ ભેગા ન થવું. આ સિવાય કોઈપણ બહારથી આવતા ફેરિયા તેમજ અજાણી વ્યક્તિને ગામમા પ્રવેશ ઉપર પ્રતિબંધ કરવામા આવેલ છે. આ નિર્ણય સહમતીથી લેવાયો છે. ગામને કોરોના સંક્રમણથી બચાવવા આ સાથે જ પંચાયતના સરપંચશ્રી તેમજ સભ્યોએ ગ્રામજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક...
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...
ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...