ગ્રામપંચાયતે તારીખ 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી
ટંકારા : ટંકારાના સજનપર ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તા. 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જોકે, કરીયાણાની દુકાનો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 8 તેમજ ઘંટીનો સમય સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 સુધી ખુલી રાખવા છૂટ આપવામા આવી છે.
સજનપર ગ્રામ પંચાયત દ્વારા કોરોના કેસ વધતા દસ દિવસીય સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી લોકો દુકાને ખરીદી કરવા જાય તેમજ ઘરની બહાર નીકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને જવા, સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવું, ચાર કરતા વધુ વ્યક્તિએ ભેગા ન થવું. આ સિવાય કોઈપણ બહારથી આવતા ફેરિયા તેમજ અજાણી વ્યક્તિને ગામમા પ્રવેશ ઉપર પ્રતિબંધ કરવામા આવેલ છે. આ નિર્ણય સહમતીથી લેવાયો છે. ગામને કોરોના સંક્રમણથી બચાવવા આ સાથે જ પંચાયતના સરપંચશ્રી તેમજ સભ્યોએ ગ્રામજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...