વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 21થી રવિસભાનો થશે પ્રારંભ થશે

0
92
/
એક વર્ષ બાદ રવિસભા પુનઃ શરૂ થતાં હરિભકતોમાં ખુશીની લહેર

(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ કોરોના ગાઈડ લાઈન અન્વયે આશરે એક વર્ષ બંધ રહ્યા બાદ રવિ સત્સંગ સભાનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હરિભકતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

કોરોના મહામારી અન્વયે સરકારી ગાઈડ લાઈન મુજબ બીએપીએસ સંસ્થા દ્વારા રવિ સત્સંગ સભામંડળો બંધ કરાયા હતા, જે પૈકીનું વાંકાનેર સત્સંગ મંડળ પણ પ્રથમ લોકડાઉનથી જ બંધ કરવામાં આવ્યું હતું, અને આશરે એક વર્ષ જેટલો લાંબો સમય રવિ સભા બંધ રહ્યા બાદ, વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા. 21થી રવિ સત્સંગ સભાનો ગાઈડ લાઈન મુજબ પુનઃ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે સંતો, હરિભક્તોમાં ખુશી પણ જોવા મળી રહી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/