રાયસંગ પરથી હળવદ વચ્ચેના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાયા

0
168
/

હળવદ : હળવદ તાલુકામાં રાયસંગપર પરથી હળવદ જવાના રસ્તે વોકળામાં પિતા-પુત્ર તણાઈ ગયા છે. હાલમાં રેસ્ક્યુ માટે તંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે,

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાયસંગપરથી હળવદ આવતા રસ્તામાં બીજા વોંકળાના પાણીમાં પિતા પુત્ર તણાઈ ગયા છે. પાણીમાં પહેલા પુત્ર શ્રીપાલભાઇ નારાયણભાઇ (ઉ.વ. 18) તણાય ગયો હતો. બાદમાં પિતા નારાયણભાઇ બેચરભાઇ દલવાડી (ઉ.વ. 45) એ તેને બહાર કાઢવા ગયા હતા. આથી, તેઓ પણ તણાય ગયા છે. હાલમાં સ્થાનિક લોકો દ્ધારા બંન્નેની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે. તેમજ બંન્ને પાણીમા તણાતા રેસ્ક્યુ માટે તંત્રને જા\ણ કરાઇ છે. હળવદ તાલુકા વિકાસ અધિકારી બનાવ સ્થળે જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/