મોરબી : હાલ મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ભૂલથી બે લાખ બીજાના ખાતામાં જમા કરી દીધા હતા. સામે સુરેન્દ્રનગરના વેપારીના ખાતામાં અચાનક બે લાખ જમા થઈ ગયા બાદ તેઓએ પ્રમાણિકતા દાખવી બે લાખ જમા કરાવનાર મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ઓળખ મેળવી તેમને તેમના પૈસા સુપ્રત કરી ઈમાનદારીની મિશાલ કાયમ કરી છે.
મોરબીના શિવાય રોડલાઇન્સ કુ. નામના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા બિમલ પટેલે તા.4 ના રોજ 2 લાખ રૂપિયા ભૂલથી સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના અશ્વિનભાઈ શેખાભાઈ કલોત્રાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. અશ્વિનભાઈ બીમાલભાઈને ઓળખતા ન હોવા છતાં પોતાના વ્યવસાયના સાથી કનુભાઈ પાલનપુરવાળાને જાણ કરી કે મારા ખાતામાં કોઈ શિવાય રોડલાઇન્સના 2 લાખ રૂપિયા જમા થયા જેની વાત કનુભાઈએ ધીરુભાઈને જણાવતા મોરબીના બીમલભાઈ વાત કરતા જાણ થઈ કે તેમના જ રૂપિયા છે જે અશ્વિનભાઈ એ પ્રમાણિકતા દાખવી બિમલભાઈને આજ રોજ 2 લાખ સુપરત કર્યા હતા.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...