
મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામ પાસેથી રમેશભાઈ ગોવિંદભાઈ નંદેસરીયા (ઉ.વ.૩૪) રહે.અમરેલી તા. મોરબીવાળા પોતાના બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ અચાનક આખલો તેમના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
આવા વધુ સમાચારો માટે નીચે આપેલ લિંક પર જઇ અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide














Comments are closed.