ભરૂચ : નિર્ણય સંમેલન પૂર્વે જ 30 આગેવાન ડિટેઇન, જલદ આંદોલનની ચીમકી

0
97
/

ભરૂચ: હાલ નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડવામાં આવતા દરિયાના પાણી નર્મદા નદીમાં છેક ઝનોર સુધી પહોંચતા આસપાસના ખેતીલાયક વિસ્તારોમાં ભારે નુકસાન થઈ રહ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા સંકોચાતી નર્મદા નદી અને ખારાશની સમસ્યાના નિવારણ માટે રૂપિયા 4 હજાર 500 કરોડના ખર્ચે ભાડભૂત પાસે વિયર કમ કોઝવે બનાવા ખાતમુહર્ત કર્યું હતું.પરંતુ માછીમારોએ વિરોધ નોંધાવી આક્ષેપ કર્યાં છે કે, વિયર કમ કોઝવે બની જવાના કારણે દરિયામાંથી નદીના મીઠાં પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલી બંધ થતાં માછીમારોની રોજગારી ઉપર ભારે અસર પડનાર છે. જેના વિરોધમાં આગામી રણનિતિ ઘડી કાઢવા માટે 8 મી નવેમ્બરના રવિવારના રોજ ભાડભુત ગામ ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંમેલનમાં માછીમારોએ સમાજના લોકોને પોતાના કામધંધા બંધ કરીને એકત્રિત થવા આહવાન કર્યું હતું. જેના પગલે પોલીસ વિભાગ પણ એક્શનમાં આવીને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.માછીમાર સમાજના લોકોએ સંમેલન પહેલા નર્મદા મૈયાની આરતી ઉતારીને સંમેલન શરૂઆત કરવા ગયા હતા.પરંતુ સંમેલનની શરૂઆત થાય તે પહેલા જ પોલીસ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી સમાજના આગેવાનોની અટકાયત કરતા સમાજના લોક ટોળા એકઠા થઈ ગયા હતા.જોકે પોલીસે સમય સુચકતા વાપરીને લોકોને વિખેરી નાખ્યા હતા. જોકે પોલીસે મહિલા આગેવાનોની અટકાયત કરતા માછીમારોએ વિરોધ નોંધાવી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનને કરવા ચીમકી ઉચ્ચારેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/