મોરબીમાં રાજપૂત સમાજના ૯૧ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન

0
75
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં તાજેતરમાં રાજપૂત સમાજ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના ૯૧ તેજસ્વી તારલાઓનું રાજ્યસભા સાંસદ, પૂર્વ મંત્રી, પૂર્વ ગૃહ મંત્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મોરબીના કેશવ હોલ ખાતે રાજપૂત સમાજનો ૫૧ મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જે પ્રસંગે વાંકાનેર મહારાજા અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી કીરીતીસિંહ રાણા, પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ડીડીઓ ડી ડી જાડેજા, ડીવાયએસપી પી એ ઝાલા, પ્રાંત અધિકારી ડી એ ઝાલા, એ ડીવીઝન પીઆઈ એચ એ જાડેજા, તાલુકા પીઆઈ કે એ વાળા સહિતના અગ્રણીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા

જે સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રે રાજપૂત સમાજનું ગૌરવ વધારનાર ૯૧ છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું જે સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણ પર ભાર મુક્યો હતો તો વાલીઓ પોતાના સ્વપ્ન બાળકો પર ના થોપે તેવી ટકોર પણ કરી હતી કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ જાહેર થયેલ કેશરીદેવસિંહનું પાઘડી પહેરાવી તેમજ તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા સહિતની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/