હળવદ: જન્માષ્ટમી નિમિત્તે હળવદ માર્કેટ યાર્ડ તા. 9 થી 16 સુધી બંધ રહેશે

0
45
/
હળવદ માર્કેટ યાર્ડમાં ૧૫મી ઓગસ્ટના દિવસે સાદાઈથી ધ્વજવંદન કરવામાં આવશે

હળવદ : તાજેતરમા સાતમ-આઠમના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં જન્માષ્ટમી ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેમ છતાં પણ લોકો પોતાના પરિવાર સાથે મિત્રો, સ્નેહીઓ સાથે તહેવારની ઉજવણી કરવા ઉત્સુક બન્યા છે. સાથે જ ઉત્સવપ્રેમીઓ તહેવારોની રજાઓની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવનાર પર્વને ધ્યાને લઇ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા હળવદ યાર્ડને આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેમાં તારીખ ૯ થી ૧૬ સુધી માર્કેટયાર્ડમાં હરાજી સંપૂર્ણ બંધ રહેશે.

જન્માષ્ટમીના તહેવારને ધ્યાને લઇ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા માર્કેટયાર્ડમાં આઠ દિવસની રજા જાહેર કરાઇ છે. જેમાં તારીખ ૯ થી ૧૬ સુધી હળવદ માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે. જ્યારે તારીખ ૧૭થી માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે. જેની હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાઓમાંથી જણસો વેચવા આવતા ખેડૂતોને નોંધ લેવા માર્કેટયાર્ડ દ્વારા જણાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/