મોરબી ABVP દ્વારા ગાંધીજી પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગાંધીજી વિષે ઓનલાઈન ક્વિઝ યોજાઈ

0
32
/

મોરબી : તાજેતરમા ABVP મોરબી જિલ્લા દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમજ ગાંધીજી વિશે ઓનલાઈન ક્વિઝ યોજવામાં આવેલ હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – મોરબી શાખા દ્વારા શહેરના ત્રિકોણ બાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી કાર્યકર્તાઓએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વંદન કર્યા હતા. તેમજ વાંકાનેર શાખા દ્વારા પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા શહેરની એલ.ઈ. ડિપ્લોમા પોલીટેકનિક કોલેજ ટીમ દ્વારા કોલેજના વિધાર્થીઓ માટે ગાંધીજી વિશે ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 40% થી વધુ ગુણ મેળવનાર વિધાર્થીઓને ઇ- સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/