મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાસના ગામોને તકેદારીના પગલાં લેવા ખાસ સૂચના

0
120
/

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઇ સિંચાઇ યોજનાના ડેમમાં તેમના 90% લેવલ મુજબનું પાણી ભરાય ગયેલ છે.

તે ઉપરાંત, પાણીની આવક ચાલુ છે. આથી, વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થયેલ છે. ત્યારે ધોડાધ્રોઇ ડેમ સાઈટના સેક્શન ઓફિસર દ્વારા આ સિંચાઇ યોજનામાં નીચાણ વાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે. આ સૂચના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગામો ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર તથા જેતપર (મચ્છુ) તેમજ માળીયા તાલુકાનાં ગામો માણબા, સુલતાનપૂર તથા ચીખલીનો પણ સમાવેશ થાય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/