માસ્ક વગર નીકળતા લોકોને દંડને બદલે માસ્ક વિતરણ કરી જાગૃત કરાયા
મોરબી : હાલ મોરબીમાં કોરોના પ્રકોપ ચરમસીમાએ હોવા છતાં હજુ પણ અણસમજું લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા હોય આજરોજ મોરબી સિરામિક એસોસિએશન અને એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં માસ્ક વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
મોરબી સિરામીક એસોશિએસનના સહયોગથી આજે એસોશિએશનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા,મુકેશભાઈ કુંડારિયા, વિજયભાઇ પટેલ, નરેન્દ્રભાઇ સંઘાત, પરેશભાઇ ઘોડાસરા તેમજ મહેશભાઇ બોપલીયા, એ ડીવીઝન પીઆઇ જે.એમ.આલ તેમજ પોલીસ કર્મચારીઓ અને મોરબી જીલ્લા ટ્રાફીક બ્રિગેડ દ્વારા મોરબીમા જાહેર માર્ગ ઉપર દંડના બદલે ફ્રી માસ્કનુ વિતરણ શરૂ કરું લોકોને કોરોના મહામારી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
![](https://thepressofindia.com/wp-content/uploads/2021/04/169323771_3935769836468899_324853350468358625_n-533x261-1-300x147.jpg)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)