મોરબી શહેરમાં કોરોનાના ફરી વધુ બે કેસ નોંધાયા : એકનું મોત

0
304
/
નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં એક અને પારેખ શેરીમાં એક કોરોનાના કેસ નોંધાયા : નવા ડેલા રોડના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબી શહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ચિતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે આજે મોરબી શહેરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા હતા .જેમાં મોરબીના નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં અને પારેખ શેરીમાં કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે આજે જાહેર થયેલા નવા ડેલા રોડ પર ઘાંચી શેરીના કોરોના પોઝિટિવ વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો 139 એ પહોંચ્યો છે. અને મૃત્યુનો આંકડો 8 થઈ ગયો છે.

મોરબી શહેરમાં છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી કોરોનાના કેસો ઉતરોતર વધી રહ્યા છે.કોરોનાના કેસો સતત વધતા હોવાથી હાહાકાર મચી ગયો છે.ખાસ કરીને મોરબીમાં કોરોના હાવી થઈ ગયો હોય તેમ હમણાંથી દરરોજ કોરોનાના કેસો નોંધાઇ છે. ત્યારે આજે બુધવારે મોરબી શહેરનો કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીની પારેખ શેરીમાં રહેતા પ્રતાપભાઈ જેચંદભાઈ પાટડીયા ઉ.વ.63 નામના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

જ્યારે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીમાં રહેતા મેમુનાબેન મહંમદભાઈ મકવાણા ઉ.વ.63 નામના વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જોકે તેમનું આજે રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળે છે. આ સાથે કોરોનાથી મોતનો આંકડો 8 સુધી પહોંચ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/