મોરબી : ઘરના પલંગમાં આધેડ બેભાન અવસ્થામાં મળ્યા, ડોકટરે મૃત જાહેર કર્યા

0
100
/

મોરબી: તાજેતરમા મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટના રહેવાસી ભાવેશભાઈ જનકભાઈ દવે (ઉ.વ.૪૦) નામના આધેડનો મૃતદેહ તેના ઘરેથી જ મળી આવ્યો હતો

જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભાવેશભાઈ દવેના ઘરનો દરવાજો તા. ૦૫-૦૮ થી બંધ હતો અને પાડોશીએ ખખડાવતા દરવાજો ખોલ્યો ના હોય જેથી બારીમાંથી લાકડા વડે દરવાજો ખોલતા રૂમની અંદર પલંગ પર તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને પાડોશી સાગર પોપટભાઈ સોલંકીએ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ ચલાવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/