મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામમાં આવેલ કારખાનામાં એક યુવક શેડ પરથી પડી ગયો હતો. તેઓને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના ત્રાજપર ગામમાં રહેતા વીજયભાઇ નાનુભાઇ વરાણીયા (ઉ.વ. 42) ગઈકાલે તા. 21ના રોજ લીલાપર ગામમાં લીલાપર ચોકડીની બાજુમાં આવેલ દેવકીનંદન પેપર મીલમાં કામ કરી રહ્યા હતા. તે વખતે તેઓ શેડ પરથી પડી ગયા હતા. આથી, તેઓને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા બનાવની આગળની તપાસ કરવામાં આવેલ રહી છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...