મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્ર કાર્યરત

0
83
/

મોરબી : મોરબી જિલ્લામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે પણ ટંકારામાં એક જ કપાસની ખરીદીનું કેન્દ્ર હોવાથી મોરબી માળીયા તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા જવામાં હાલાકી પડતી હોય મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા ,જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા ,ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી રાઘવજી ગડારા, સાંસદ મોહન કુંડારીયા  સહિતના અગ્રણીઓએ મોરબી અને માળીયા વચ્ચે કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્ર ખોલવાની માંગ કરી હતી.જેના પગલે મોરબી માળીયા વચ્ચે સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવાની મંજૂરીઅપાઈ છે.

મોરબી નજીક આવેલ અને માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે રવિરાજ જીનીગ મીલમાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્રને કાર્યરત કરવામાં આવ્યું છે.ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે હાલના તબક્કે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે 98795 30240 ,98252 22683 અને 90990 58890 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે .જોકે લોકડાઉનને લઈને રૂબરૂ રેજીસ્ટ્રેશન કરાશે નહિ અને માત્ર આ મોબાઈલ ઉપર રજીસ્ટ્રેશન થઈ શકશે.ખેડૂતોને મુશ્કેલી ન પડે અને વેપારીઓ ખોટો ગેરલાભ ન ઉઠાવે તે માટે આ રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે અને નોંધણી થયેલા ખેડૂતોને કપાસની ખરીદી માટે બોલાવાશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/