મોરબીમાં બુધવારે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : કુલ કેસ 65

0
323
/
વસંત પ્લોટમાં યુવાન બાદ તેના ભાઈ અને પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 65

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લેતો. ગઈકાલે મંગળવારે પાંચ કેસ નોંધાયા બાદ આજે બુધવારે બપોરે સુધી કોઈ કેસ ન નોંધાતા રાહત હતી. ત્યાર બપોરે એક સાથે મોરબીમાં 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 65 થઈ ગયો છે.

મોરબીમાં કોરોના વાયરસનો આંતક યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે નહેરુગેઈટ વિસ્તારમાં રહેતા વૃદ્ધનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. છેલ્લા 3 દિવસની કોરનાના કારણે દરરોજ એક દર્દીનું મૃત્યુ થઈ રહ્યું છે. જે પણ ચિંતાનો વિષય છે. જ્યારે આજે બુધવારે બપોર એક સાથે બે લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે અંગે મળતી વિગત મુજબ ગઈકાલે મોરબીના વસંત પ્લોટ-10માં કોરોના પોઝિટિવ આવેલા યુવાન હિતેશભાઈ દયાલજીભાઈ રાણપરાના ભાઈ ભરતભાઈ દયાલજીભાઈ રાણપરા (ઉ.57) તેમજ હિતેશભાઈના પિતા દયાલજીભાઈ મણિલાલ રાણપરા (74)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે. આ બંનેના સદભાવના હોસ્પિટલમાં સેમ્પલ લઈ અમદાવાદ ખાનગી લેબરોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આજના આ બે કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 65 સુધી પહોંચી ગઈ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/