આશ્ચર્યમ !! વાંકાનેર નજીક એસટી બસનો ટાયરનો જોટો નીકળી ગયો..!

0
84
/
હવે નવું સૂત્ર સલામત સવારી એસટી અમારી, બેઠા પછી પણ જવાબદારી તમારી

વાંકાનેર: હાલ આજે સવારે વાંકાનેર તાલુકાના કોટડા ગામેંથી પેસેન્જર અને વિદ્યાર્થીઓને લઈને વાંકાનેર આવતી એસટી બસનો પાછલા ટાયરનો જોટો નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા જો કે,સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ મુસાફરોને ઈજાઓ પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે સાત વાગ્યાની આસપાસ કોટડા ગામેથી બસ વાંકાનેર આવી રહી હતી ત્યારે વાલાસણના પુલ પાસે ચાલુ બસે પાછળનો ટાયરનો જોટો નીકળી ગયો હતો. દુર્ઘટના સમયે આ બસમાં પેસેન્જરો ઉપરાંત 15-20 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. આવી ઘટના બનતા મુસાફરો અને વિદ્યાર્થીઓમાં શોર બકોર થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ ઇજા કે જાનહાની થઈ નથી.

ગુજરાત સરકારની એસટી બસ મા લખ્યું હોય છે કે સલામત સવારી એસ.ટી અમારી હવે આજની ઘટના બાદ સલામત સવારી એસટી અમારી, બેઠા પછી જવાબદારી તમારી તેવું સૂત્ર ઉમેરવું પડશે તેવું આ બસમાં મુસાફરી કરનાર મુસાફરો પોતાને થયેલા અનુભવ બાદ પણ જણાવી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/