વાંકાનેર : ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત, માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત

0
89
/

વાંકાનેર: વાંકાનેરની ગોકુલનગર સોસાયટીના રહેવાસી સૈલેન્દ્રસિંહ હિંમતસિંહ ઝાલા (ઉ.વ.૪૨) વાળા આધેડ ભવાની હોટલ પાસે મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હોય જેને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે વાંકાનેર સીટી પોલીસે આધેડના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.


વાંકાનેર નજીક ફેક્ટરી પાસે પાણીના ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સેરેન્જો સિરામિકમાં કામ કરતા રાજેન્દ્રભાઈ ગાયકવાડ નામના આદિવાસીની ૫ વર્ષની દીકરી પાંચીબેન સિરામિક રહેણાંક ક્વાર્ટર બાજુમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જતા તેનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે માસૂમના મોત મામલે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


( રિપોર્ટ : હરદેવસિંહ ઝાલા )

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/