મોરબી: તીડના નિયંત્રણ માટે શું કરવું? કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું માર્ગદર્શન

0
52
/

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે દરેક ખેડુતને ભલામણ કરવામાં આવે છે કે આજુબાજુના વિસ્તારમાં તીડનો ઉપદ્રવ જોવા મળેલ છે. તીડના ઉપદ્રવથી બચવા માટે નીચે મુજબના પગલા ભરવાથી તીડના આક્રમણથી બચી શકાય છે.

તીડના ઝુંડમાં કરોડોની સંખ્યામાં તીડ હોય છે. તે લગભગ દોઢથી બે ઇંચ લંબાઇનાં હોય છે, જે ઉભા પાકને થોડા જ કલાકમાં સાફ કરી નાખે છે. દરેક પ્રકારની લીલા પાનવાળી વનસ્પતિ ખાય છે. આ તીડનું ઝુંડ કોઇપણ વિસ્તારમાં સાંજના ૬ થી ૮ વાગ્યા સુધીમાં પહોંચી જમીન પર બેસી જાય છે અને ત્યાંજ આખી રાત પાકને નુકશાન કરે છે. બીજી સવારે ૭=૩૦ વાગ્યાની આજુબાજુ ઉડવાનું શરુ કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/