વાંકાનેરમાં પણ કોરોનાને પગલે વકીલો 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

0
55
/

વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં હમણાંથી કોરોનાની બેકાબુભરી પરિસ્થિતિ વચ્ચે વાંકાનેર તાલુકામાં પણ કોરોનાએ ચોતરફથી ભરડો લીધો છે. આથી, વાંકાનેરમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે વાંકાનેર બાર એસોસિએશન દ્વારા આજ તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.વાંકાનેર બાર એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ વાંકાનેર પંથકમાં હમણાંથી કોરોના સંક્રમણ વધ્યું છે.

આથી વાંકનેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે વાંકાનેરના વકીલો સાથે ચર્ચા વિચારણા કરીને વાંકાનેર બાર એસોસિએશન દ્વારા સરકયુલર ઠરાવથી આજે તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સાથે-સાથે વકીલોને અરજન્ટ કાર્યવાહી સિવાય બિનજરૂરી પક્ષકારોને ન બોલાવી કોર્ટ કેમ્પસ છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત નામદાર કોર્ટને પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહિ કરવા કે ક્રિમિનલ કેસોમાં પક્ષકારોના વોરંટ ઇસ્યુ ન કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/