વાંકાનેર: લુણસર ખાતે ગામલોકો દ્વારા ઉમળકાભેર રામરથનું સ્વાગત

0
63
/

વાંકાનેર : રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિરના નિર્માણ અંગે પ્રચાર-પ્રસાર માટે રામરથ આજે વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં ફરી રામમંદિર નિર્માણ અંગે લોકોમાં જાગૃતિ તથા શ્રધ્ધા પ્રગટાવી હતી.

આ અનુસંધાને વાંકાનેર તાલુકાના લુણસર ગામે સમસ્ત ગામ લોકોએ રામરથનું ખુબ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. રામરથના વધામણા માટે લુણસર ગામના સરપંચ ભરતભાઈ વરમોરા તરફથી રૂ. 5100 તથા બજરંગ ધૂન મંડળ તરફથી રૂ. 11000ની નિધીનું સમર્પણ કરવામાં આવ્યું હતુ. ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત, કાશીપર, ભીંગુડા સહિતના ગામોમાં પણ લોકોએ રામરથને વધાવી રામમંદિર માટે સમર્પણ કર્યુ હતું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/