હળવદમાં 6 સ્થળ પર “નમામિ દેવી નર્મદે” મહોત્સવ ઉજવાશે

0
51
/
હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હળવદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પહેલી વખત એની ઐતિહાસીક સપાટી પર પહોંચ્યો છે. જેથી તેના વધામણા કરવા સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હળવદમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ નમામી દેવી નર્મદાના વધામણા કરવાના કાર્યક્રમના આયોજન અંગે મામલતદાર કચેરી ખાતે, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી

પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ‘માં નર્મદા’ના વધામણા કરવાના કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ “નમામી દેવી નર્મદે” મહોત્સવની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. તેને અનુસંધાને હળવદમાં કુલ 6 સ્થાન પર નર્મદા મહોત્સવનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્રગઢ, ભલગામડા, દીઘડિયા, ચરાડવા, ટીકર અને હળવદ શહેરનો સમાવેશ કરાયો છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/