હળવદ : લગ્ન ના થવાના લીધે ટેન્શનમાં રહેતા આધેડે એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત

0
43
/

હળવદ : તાજેતરમા સુરેન્દ્રનગરના આધેડે લગ્ન ના થતા જિંદગીથી કંટાળી હળવદમાં એસિડ પી લીધું હતું. આથી, તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 17ના રોજ હળવદની સરા ચોકડી પાસે છનાભાઈ મોતીભાઈ વાઘેલા (ઉ.વ. 50, રહે. સર્વોદય સોસાયટી, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)એ એસિડ ગટગટાવી લીધું હતું. આથી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. છનાભાઈ લગ્ન થયેલ ના હોવાથી માનસિક ટેન્શનમાં રહેતા હતા. અને તેમણે જીંદગીથી કંટાળીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/